ISRO Mission Failure: ISROના 2026ના પહેલા જ મિશન PSLV-C62ને નિષ્ફળતા મળી છે.
ISRO Mission Failure: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માટે વર્ષ 2026ની શરૂઆત આશાસ્પદ રહી નથી. દેશના સ્પેસ મિશન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા વર્ષના પ્રથમ મિશનમાં જ ઈસરોને મોટો ઝટકો લાગ્યો છે. રવિવારે, 12 જાન્યુઆરીએ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું PSLV-C62 રોકેટ તેના મુખ્ય ઉદ્દેશ્યમાં નિષ્ફળ રહ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ દેશની સુરક્ષા માટે તૈયાર કરાયેલા ડિફેન્સ સેટેલાઇટ 'અન્વેષા' (EOS-N1)ને અવકાશમાં તરતો મૂકવાનો હતો, પરંતુ ટેકનિકલ ખામીને કારણે આ સેટેલાઇટ સહિત કુલ 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ક્યાંક ખોવાઈ ગયા છે.
મિશનમાં આખરે શું થયું?
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી જ્યારે રોકેટ લોન્ચ થયું ત્યારે બધું સામાન્ય હતું. શરૂઆતના તબક્કાઓ સફળતાપૂર્વક પાર પડ્યા હતા, પરંતુ રોકેટના ત્રીજા સ્ટેજ (PS3) દરમિયાન અચાનક ગરબડ થઈ. ઈસરોના કંટ્રોલ રૂમમાં મળતા ડેટા મુજબ, ત્રીજા તબક્કાના અંતમાં રોકેટે તેની નિર્ધારિત દિશા ગુમાવી દીધી હતી.
આ ખામીને કારણે રોકેટ તેના માર્ગ પરથી ભટકી ગયું. જોકે, ચોથો સ્ટેજ શરૂ તો થયો હતો, પરંતુ ત્યાર બાદ સિગ્નલ તૂટી ગયા અને સેટેલાઇટ રોકેટથી અલગ થઈ શક્યો નહીં. પરિણામે મિશન કંટ્રોલ સેન્ટરમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો.
ISRO ચીફે શું કહ્યું?
આ દુર્ઘટના બાદ તરત જ ISROના ચીફે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે મિશન અસફળ રહ્યું છે. તેમણે કહ્યું કે, "PSLV-C62 મિશન દરમિયાન ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ સમસ્યા આવી હતી, જેના કારણે રોકેટની દિશા બદલાઈ ગઈ. હાલમાં ડેટાનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે."
#WATCH | Sriharikota, Andhra Pradesh |on PSLV-C62 mission, ISRO Chief V Narayanan says,"Today, we have attempted the PSLV C62 / EOS - N1 Mission...There is a deviation observed in the vehicle flight path. The mission could not proceed in the expected path. We are going through… https://t.co/Ai3JdxKrMNpic.twitter.com/zUxKoRGnt6
આ મિશન માત્ર એક સામાન્ય લોન્ચિંગ નહોતું, પરંતુ તેમાં ભારતની ભવિષ્યની ટેકનોલોજી જોડાયેલી હતી. આ નિષ્ફળતાને કારણે નીચે મુજબના મહત્વના પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે:
અન્વેષા (Anvesha/EOS-N1): આ DRDO દ્વારા તૈયાર કરાયેલો અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હતો, જે દેશની સુરક્ષા અને સરહદ પર નજર રાખવા માટે ખૂબ જ મહત્વનો હતો.
આયુલસેટ (AayulSAT): આ ઉપગ્રહને અવકાશના 'પેટ્રોલ પંપ' તરીકે ઓળખવામાં આવતો હતો. તે અંતરિક્ષમાં જ બીજા સેટેલાઇટમાં ફ્યુઅલ ભરવાની (On-orbit refueling) ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનો હતો.
MOI-1: આ ભારતની પહેલી ઓર્બિટલ AI-ઇમેજ લેબોરેટરી હતી અને તેમાં દુનિયાનું સૌથી હલકું સ્પેસ ટેલિસ્કોપ પણ સામેલ હતું.
આમ, ISROના 2026ના આ પ્રથમ મિશનની નિષ્ફળતા એ માત્ર એક રોકેટની નિષ્ફળતા નથી, પરંતુ સ્પેસ ડિફેન્સ અને નવીન ટેકનોલોજીના ક્ષેત્રે ભારતને પડેલો એક કામચલાઉ પણ મોટો ફટકો છે. હવે સૌની નજર ઈસરોની તપાસ રિપોર્ટ પર છે કે આખરે કયા કારણોસર આ મિશન ફેઈલ ગયું.