નજીવા ઝઘડા બાદ એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં મુસાફરને સળગાવ્યો, 3ના મોત, નાસભાગમાં 8 ઘાયલ - kozhikode express train fire kerala man sets co passenger on fire three people found dead on tracks later | Moneycontrol Gujarati
Get App

નજીવા ઝઘડા બાદ એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં મુસાફરને સળગાવ્યો, 3ના મોત, નાસભાગમાં 8 ઘાયલ

કેરળના કોઝિકોડમાં એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા બાબતે થયેલા નજીવા ઝઘડાને પગલે એક વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દેતાં ત્રણ લોકોના કરૂણ મોત થયાં હતાં. આ ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાના કલાકો બાદ કેરળના ઇલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

અપડેટેડ 10:47:27 AM Apr 03, 2023 પર
Story continues below Advertisement
લપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધા પછી ટ્રેન ધીમી પડી ત્યારે તે વ્યક્તિ નાસી છૂટ્યો હોવાની આશંકા છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.

Kozhikode Train Fire: કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા બાબતે થયેલા નજીવા ઝઘડાને પગલે એક વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દેતાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાના કલાકો બાદ કેરળના ઇલાથુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધા પછી ટ્રેન ધીમી પડી ત્યારે તે વ્યક્તિ નાસી છૂટ્યો હોવાની આશંકા છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 9.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને કોરાપુઝા રેલવે બ્રિજ પર પહોંચી હતી. મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરી અને આગ પર કાબૂ મેળવ્યો.


રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર, કથિત રીતે આગ લગાડનાર વ્યક્તિ ઘટના બાદ ભાગી ગયો હતો. ત્રણ ઘાયલ લોકોને આરપીએફના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને જરૂરી તપાસ કર્યા બાદ ટ્રેન રવાના થઈ હતી.

પ્રારંભિક અહેવાલો અનુસાર, એવી શંકા છે કે આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી પછી બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઝઘડા બાદ એક વ્યક્તિએ અન્ય મુસાફર પર કોઈ જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને કારણે નાસભાગ અને આગના કારણે 3 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા.

કોઝિકોડ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે આ મામલે તપાસ શરૂ કરી છે. આરપીએફને જાણ કરવામાં આવી હતી કે ટ્રેનમાં એક વ્યક્તિએ કથિત રીતે એક સાથી મુસાફરને આગ લગાવી દીધી હતી, જેમાં અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. કલાકો પછી, એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહ ઈલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાટા પર પડેલા મળી આવ્યા હતા.

આ પણ વાંચો - Layoff News: McDonald’sએ અમેરિકામાં ઓફિસ કરી બંધ, છટણી પહેલાની તૈયારી

MoneyControl News

MoneyControl News

First Published: Apr 03, 2023 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.