PM Modi appeal: શું તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો? તો પીએમ મોદીની આ અપીલ ચોક્કસ જોઈ લો
PM Modi appeal: તહેવારોમાં સોનું ખરીદતા પહેલા પીએમ મોદીની અપીલ જાણો. વડાપ્રધાને દેશવાસીઓને જરૂર વગર સોનું ન ખરીદવા અને ‘Wed in India' નો મંત્ર અપનાવવા ખાસ આગ્રહ કર્યો છે.
સોનાની ખરીદી ઘટાડવા ઉપરાંત વડાપ્રધાને બીજી એક મહત્વની વાત કહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે રજાઓ ગાળવા વિદેશ જવાને બદલે દેશમાં જ પ્રવાસન સ્થળોની મુલાકાત લો.
PM Modi appeal: શું તમે આ તહેવારો કે લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? જો હા, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વાત તમારે જાણવી જ જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને એક મોટી અપીલ કરી છે કે, "જો ખરેખર જરૂર ન હોય તો સોનું ન ખરીદો." ચાલો જાણીએ તેમણે આવું શા માટે કહ્યું.
શા માટે પીએમ મોદીએ સોનું ન ખરીદવા કહ્યું?
ભારતમાં મોટા પ્રમાણમાં સોનાની આયાત કરવામાં આવે છે. આનાથી દેશના ચાલુ ખાતાની ખાધ પર મોટું દબાણ આવે છે. સોનું વિદેશથી મંગાવવું પડે છે, જેના કારણે દર વર્ષે આપણું ઘણું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે. આર્થિક મજબૂતી જાળવી રાખવા માટે પીએમ મોદીએ લોકોને પોતાના ખર્ચ કરવાની રીતમાં થોડો બદલાવ લાવવા વિનંતી કરી છે. બિનજરૂરી વિદેશી ખર્ચાઓ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
વિદેશ પ્રવાસ ટાળો અને 'Wed in India' અપનાવો
સોનાની ખરીદી ઘટાડવા ઉપરાંત વડાપ્રધાને બીજી એક મહત્વની વાત કહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે રજાઓ ગાળવા વિદેશ જવાને બદલે દેશમાં જ પ્રવાસન સ્થળોની મુલાકાત લો. આ ઉપરાંત લગ્ન માટે પણ ‘Wed in India' એટલે કે ભારતમાં જ લગ્નનો મંત્ર અપનાવો. તેમણે સ્પષ્ટ કહ્યું કે આપણે જેટલું વધુ સ્વદેશી વસ્તુઓ અને આત્મનિર્ભરતા પર ધ્યાન આપીશું, આપણી અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બનશે.
વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતની GDP 7.8% રહી
પીએમ મોદીએ પોતાના એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે આજે આખી દુનિયા યુદ્ધ અને સપ્લાય ચેનની સમસ્યાઓનો સામનો કરી રહી છે. 2020 ના કોવિડ સમયથી લઈને અત્યાર સુધી વૈશ્વિક સ્તરે કોઈ સ્થિરતા જોવા મળી નથી. આમ છતાં, આપણો દેશ 7.8% ની શાનદાર ઝડપે આગળ વધી રહ્યો છે.
નાણાકીય વર્ષ 2026-27 ની પહેલી ત્રિમાસિક (એપ્રિલ-જૂન) ના આંકડા મુજબ ભારતનો GDP ગ્રોથ 7.8% નોંધાયો છે. જોકે આ અગાઉના 8.6% કરતા થોડો ઓછો છે, પરંતુ રિઝર્વ બેંક (RBI) ના 7% ના અનુમાન કરતા ઘણો સારો છે. આ આંકડા સાથે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. પીએમ મોદીએ આ સફળતાનો શ્રેય 140 કરોડ દેશવાસીઓની મહેનતને આપ્યો છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના પ્રવાસે છે. તેઓ બિશ્કેક ખાતે યોજાઈ રહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.