ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રસપ્રદ વાતચીત કરી. આ વાતચીતનો વીડિયો મંગળવારે PM મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર થયો, જે ઝડપથી વાયરલ થયો. વડાપ્રધાને શુક્લાને એક્સિઓમ-4 મિશન અને તેમના અંતરિક્ષ અનુભવો વિશે પૂછ્યું, જેમાં એક ખાસ સવાલ હતો - "અમે તમને જે હોમવર્ક આપ્યું હતું, તેનું શું થયું?"