શેરબજારમાં અત્યારે જે રીતે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તેનાથી સામાન્ય રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. એક દિવસ બજાર વધે છે તો બીજા દિવસે મોટો કડાકો બોલી જાય છે. ઘણા રોકાણકારો તો એવું વિચારી રહ્યા છે કે હવે બધું વેચીને નીકળી જવું જોઈએ અથવા પોતાની SIP બંધ કરી દેવી જોઈએ. જો તમારા મનમાં પણ આવા જ વિચારો આવી રહ્યા હોય, તો તમારે થોભી જવાની અને ફર્સ્ટ ગ્લોબલના ફાઉન્ડર અને દિગ્ગજ માર્કેટ એક્સપર્ટ દેવિના મેહરાની વાત ધ્યાનથી સાંભળવાની જરૂર છે.

