Independence day 2025: પ્રધાનમંત્રી મોદી આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ સતત બારમી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ સ્વતંત્રતા દિવસની ઉજવણીની એક ખાસ થીમ 'ન્યૂ ઈન્ડિયા' છે. આ ઉજવણી દરમિયાન, ઓપરેશન સિંદૂર પર ખાસ ભાર મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી આત્મનિર્ભરતા અને રોજગાર વધારવા માટે ખાસ પહેલની જાહેરાત કરી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, સમગ્ર વિશ્વએ ભારતીય ડિફેંસ અને તેના સ્વદેશી શસ્ત્રોની તાકાત જોઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિફેંસમાં જે રીતે પરિવર્તન આવ્યું છે તે પ્રશંસનીય છે. ચાલો આપણે ભારતીય ડિફેંસનું મોટું ચિત્ર સમજીએ.