Multibagger Stocks: દિગ્ગજ એનબીએફસી બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)એ આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુનો વધારો કર્યો છે. જો કે, લૉન્ગ ટર્મમાં તેના કરોડપતિ બનાવામાં વધું સમય નથી લાગ્યો અને માત્ર 15 વર્ષમાં 18,000 રૂપિયાને રોકાણ પર કરોડપતિ બનાવ્યા છે. માર્કેટ એક્સપર્ટના અનુસાર હજી પણ તેમાં બમ્પર કમાણીની તક બની રહી છે. તેના શેર હાજર લોવલથી 24 ટકાથી પણ વધું ઉપર વધી શકે છે. તેના શેર શુક્રવાર 1 સપ્ટેમ્બરે 2.12 ટકાના વધારા સાથે 7317 રૂપિયા પર બંધ થયો છે. તેની ફુલ માર્કેટ કેપ 4,43,350.96 કરોડ રૂપિયા છે.
15 વર્ષમાં 18,000 બની ગયા એક કરોડ
બજાજ ફાઈનાન્સના શેર 12 સપ્ટેમ્બર 2008 એ માત્ર 12.24 રૂપિયામાં મળી રહ્યા હતા. હવે તે 59679 ટકા અપસાઈ 7317.00 રૂપિયા પર છે એટલે કે માત્ર 15 વર્ષમાં 18,000 રૂપિયાના રોકાણ પર છે રોકાણકારો કરોડપતિ બનાવ્યા છે. આવું નથી કે તેમણે આટલા લાંબા સમયથી જોરદાર રિટર્ન આવ્યો છે, પરંતુ ઓછા ચટાઈમ ફ્રેમમાં પણ તેનું બંપર રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તે 22 મે 2020એ 1895.95 રૂપિયાના ભાવ પર અત્યાર સુધી તે 286 ટકા ઉપર વધી ગયા છે.
બજાજ ફાઈનાન્સના અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) નાણાકીય વર્ષ 2018 થી નાણાકીય વર્ષ 2023ની વચ્ચે 25 ટકાના સીએજીઆરથી વધીને 2.5 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ દરમિયાન તેના ગ્રાહકો પણ 2.6 કરોડથી વધીને 6.9 કરોડ પર પહોંચી ગઈ છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે હવે આગળની વાત કરે તો તેના એયૂએમ નાણાકીય વર્ષ 2023-25 માં 28 ટકાની સીએજીઆરથી વધીને 4 લાખ કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. તેના ગ્રોથને સૌથી મજબૂત સપોર્ટ મૉર્ગેજથી મળી શકે છે જે છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સરેરાસ 28 ટકા વધી રહ્યા છે અને તેના બજાજા ફાઈનાન્સના કારોબારમાં 31 ટકા હિસ્સો છે.
જ્યારે છેલ્લા એક વર્ષમાં શેરેનું મૂવમેન્ટની વાત કરે તો 20 માર્ચ 2023એ તે એક વર્ષના નીચલા સ્તર 5487.25 રૂપિયા પર હતો. તેના બાદ ચાર મહિનામાં જ તે 46 ટકા વધીને 5 જુલાઈ 2023એ એક વર્ષના હાઈ 7999.90 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કે આ હાઈ લેવલથી હાલમાં તે 8 ટકાથી પણ વધું નિચે છે.
જૂન ક્વાર્ટરમાં તેને કારના માટે ફાઈનાન્સ કરવાનું શરૂ કર્યું અને હવે તેનું લક્ષ્ય માર્ચ ક્વાર્ટર સુધી માઈક્રોફાઈનાન્સ અને ફરી તેના બાદ ટ્રેક્ટર ફાઈનાન્શિયલનું છે. બ્રોકરેજના અનુસાર ગ્રૉસ એનપીએ લેવલ નાણાકીય વર્ષ 2024 અને નાણાકીય વર્ષ 2025માં 1-1.3 ટકાની વચ્ચે એટલે કે 2 ટકાની નીચે બન્યા રહેશે. આ બધી વાતોને જોતા બ્રોકરેજે 9105 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ પર તેને ખરીદીની રેટિંગ આપી છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.