Share Market News: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સંકટની સીધી અસર ભલે ભારતમાં ન દેખાતી હોય, પરંતુ તેના આર્થિક ઝટકા શેરબજાર અને અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. કોટક મહિન્દ્રા AMCના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહનું માનવું છે કે શેરબજારને અનિશ્ચિતતા જરાય પસંદ નથી. તેમણે ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને ભારતીય અર્થવ્યવસ્થાની કુંડળીનો ‘રાહુ કાળ' ગણાવ્યો છે.

