Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે રોકાણકારો માટે સાવચેતીભર્યો દિવસ રહી શકે છે. એક તરફ વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે કેટલાક મોટા ફેરફારો બજાર પર અસર કરી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત વેચવાલીનું દબાણ યથાવત છે, જે બજાર માટે ચિંતાનો વિષય છે. ચાલો વિગતવાર જાણીએ કે આજે કયા પરિબળો બજારની ચાલ નક્કી કરશે.

