શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. એક અકસ્માતની ઘટના બની હતી તે પછી લોકોના ત્યાં ટોળા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુપર સ્પીડમાં આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળે છે જેમાં પોલીસકર્મી સહિતના લોકોના મોત થઈ જાય છે. એક બાઈકરના મોટરસાઈકલમાં લાગેલા કેમેરામાં આખી ઘટના કેદ થયેલી જોવા મળી રહી છે.



