અમૃતપાલ સિંહે કર્યું સરેન્ડર, પંજાબ પોલીસ આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવાની કરી રહી છે તૈયારી - amritpal singh surrendered punjab police preparing to send him to dibrugarh jail in assam | Moneycontrol Gujarati
Get App

અમૃતપાલ સિંહે કર્યું સરેન્ડર, પંજાબ પોલીસ આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવાની કરી રહી છે તૈયારી

18 માર્ચથી ફરાર અમૃતપાલ સિંહે પોલીસને સરેન્ડર કર્યું છે. જો કે, અત્યારે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી કે અમૃતપાલ સિંહે સરેન્ડર કર્યું કે પછી પોલીસે તેની જાતે જ ધરપકડ કરી. છેલ્લા એક મહિના દરમિયાન પોલીસે તેના અનેક સાગરિતોની ધરપકડ કરી હતી. પરંતુ અમૃતપાલ સતત પોલીસને ચકમો આપી શકતો હતો. હાલમાં જ પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના સાથી પાપલપ્રીતની ધરપકડ કરી હતી.

અપડેટેડ 10:28:34 AM Apr 23, 2023 પર
Story continues below Advertisement
અમૃતપાલ સિંહ ગયા મહિના એટલે કે 18મી એપ્રિલથી પોલીસની પકડમાંથી બહાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પોલીસે તેના અનેક સાગરિતોની ધરપકડ કરી હતી.

લાંબા સમયથી ફરાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ આખરે પોલીસની પકડમાં આવી ગયો છે. 18 માર્ચથી ફરાર અમૃતપાલ સિંહે પોલીસને સરેન્ડર કર્યું છે. જો કે, અત્યારે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી કે અમૃતપાલ સિંહે સરેન્ડર કર્યું કે પછી પોલીસે તેની જાતે જ ધરપકડ કરી.

અગાઉ અમૃતપાલનો સાથી પકડાયો હતો

અમૃતપાલ સિંહ ગયા મહિના એટલે કે 18મી એપ્રિલથી પોલીસની પકડમાંથી બહાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પોલીસે તેના અનેક સાગરિતોની ધરપકડ કરી હતી. પરંતુ અમૃતપાલ સતત પોલીસને ચકમો આપી શકતો હતો. હાલમાં જ પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના સાથી પાપલપ્રીતની ધરપકડ કરી હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ટૂંક સમયમાં અમૃતપાલ સિંહ પણ પોલીસના હાથે ઝડપાઈ શકે છે.


અમૃતપાલ પર NSA લાદવામાં આવશે

પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવવાની તૈયારી કરી રહી છે. પંજાબના મોગામાંથી તેની ધરપકડ કર્યા બાદ તેને આસામના ડિબ્રુગઢ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના સંયુક્ત ઓપરેશન હેઠળ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે અમૃતપાલ સિંહ?

અમૃતપાલ સિંહ ખાલિસ્તાન સમર્થક છે અને વારિસ પંજાબ દે નામના સંગઠનના વડા પણ છે. અમૃતપાલ સિંહ અગાઉ દુબઈમાં કામ કરતો હતો. તેમનો જન્મ અમૃતસરના જલ્લુપુર ખેડા ગામમાં થયો હતો. અમૃતપાલ સિંહ વર્ષ 2022માં ભારત પરત ફર્યા અને ત્યાર બાદ તેણે ફરી એકવાર ખાલિસ્તાન ચળવળને નવી હવા આપવાનો પ્રયાસ કર્યો. અમૃતપાલ સિંહ વિરુદ્ધ અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાયા છે. અમૃતપાલ સિંહ પર દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ નફરતભર્યા ભાષણ આપવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો - બિન-સરકારી સંસ્થાઓ પણ આધાર વેરિફિકેશન ડેટાનો ઉપયોગ કરી શકશે, IT મંત્રાલયે જ મૂક્યો પ્રસ્તાવ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 23, 2023 10:28 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.