ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામો બદ્રીનાથ અને કેદારનાથના કપાટ શિયાળાની શરૂઆત સાથે બંધ થવા જઈ રહ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ 25 નવેમ્બર 2025ના રોજ સાંજે 2:56 વાગ્યે બંધ કરવામાં આવશે. આ માટે 21 નવેમ્બરથી પંચ પૂજાઓનો પ્રારંભ થશે, જે શિયાળુ સીઝન દરમિયાન મંદિરના કપાટ બંધ કરવાની વૈદિક પરંપરાનો ભાગ છે.