Char Dham Yatra 2025: ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ રજિસ્ટ્રેશન પ્રોસેસને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળ સંચાલિત યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આ પ્રોસેસ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પરમિશન માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પરમિશન મળ્યા બાદ રજિસ્ટ્રેશનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ શરૂ થશે. જો કે, તેમાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે. આ પહેલ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ સાબિત થશે.
ગત વખતે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
આપને જણાવી દઈએ કે આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવાની સાથે શરૂ થશે અને યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રોસેસ 11 માર્ચથી શરૂ થશે. ગત વર્ષે ચારધામ યાત્રામાં 46 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. છેલ્લી વખતે, મુસાફરીના પ્રારંભિક તબક્કામાં રજિસ્ટ્રેશનમાં ઘણી સમસ્યાઓ આવી હતી, જેના કારણે મુસાફરોનું સમગ્ર સમયપત્રક ખોરવાઈ ગયું હતું. આટલું જ નહીં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન વગર આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ વખતે કોઈ મુશ્કેલી નહીં આવે
ઉત્તરાખંડના ત્રણ જિલ્લા ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જ્યાં ચાર ધામ સ્થિત છે ત્યાંની આર્થિક વ્યવસ્થા આ યાત્રા સાથે જોડાયેલી છે. આ ઉપરાંત હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, પૌરી જિલ્લાના લોકોની આજીવિકા માટે પણ આ યાત્રા મહત્વપૂર્ણ છે.