Dhanteras 2023: ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તેરસ પર પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સોનુ, ચાંદી, આભૂષણ, મકાન, વાહન વગેરે ખરીદે છે. ધનતેરસ પર માતા લક્ષ્મી અને ધનના અધિપતિ કુબેરની પૂજા કરવામાં આવે છે, જેનાથી વર્ષમાં ધનનું સંકટ ન થાય અને આર્થિક સ્થિતિ મજબૂત રહે. કાશીના જ્યોતિષચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ કે આ વર્ષે ધનતેરસ ક્યારે છે? ધનતેરસ પર લક્ષ્મી પૂજાનું મુહૂર્ત ક્યારે છે? ધનતેરસ પર સોનુ ખરીદવાનો યોગ્ય સમય શું છે?
ધનતેરસ 2023ની યોગ્ય તારીખ શું છે?
ધનતેરસ 2023 લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત
10 નવેમ્બરે ધનતેરસના રોજ ગણેશ, કુબેર અને લક્ષ્મી પૂજાનો શુભ સમય સાંજે 05:47 વાગ્યાથી શરૂ થશે અને આ શુભ સમય સાંજે 07:47 સુધી રહેશે. આ વખતે તમને ધનતેરસ પૂજા માટે 1 કલાક 56 મિનિટનો શુભ સમય મળશે. આ દિવસે જ યમ દીપમ પણ થશે.
પ્રદોષ કાળ ધનતેરસના રોજ સાંજે 05:30 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે, જે રાત્રે 08:08 સુધી ચાલશે. જ્યારે વૃષભનો સમયગાળો સાંજે 05:47 થી 07:43 સુધીનો રહેશે.
ધનતેરસ 2023 પર સોનું ખરીદવાનો યોગ્ય સમય
તમને ધનતેરસના દિવસે સોનું ખરીદવા માટે 18 કલાક 05 મિનિટનો શુભ સમય મળશે. ધનતેરસ પર સોનું ખરીદવાનો સમય 11 નવેમ્બરે બપોરે 12:35 થી બીજા દિવસે સવારે 06:40 સુધીનો છે.