Ariha shah case: ગુજરાતની દીકરી અરિહા શાહ લગભગ 20 મહિનાથી જર્મનીમાં ફસાયેલી છે. ત્યાં તેને ચાઈલ્ડ કેર સેન્ટરમાં રાખવામાં આવી છે. દિકરીના માતા-પિતા પર આરોપ લગાવીને માતાને કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. જો કે, પાછળથી ફોજદારી આરોપો છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યું ન હતું.
અરિહાની માતા ધારા કહે છે કે આ વર્ષે ઓગસ્ટના અંતમાં અરિહા કેર હોમમાં બે વર્ષ પૂર્ણ કરશે. જર્મન સરકારના નિયમો હેઠળ, જો બાળક બે વર્ષથી ફોસ્ટર કેર હોમમાં છે, તો તે બાળક તેના માતાપિતાને પાછું આપવામાં આવતું નથી.
Gujarati girl Ariha:જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બાળકી અરિહા શાહનો મામલો ફરી એકવાર ગરમાયો છે. અરિહા નામની છોકરીને લગભગ 20 મહિનાથી જર્મનીમાં પાલક સંભાળમાં રાખવામાં આવી છે. આ મામલે બાળકીની માતા સતત મોદી સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી રહી છે. આ મામલે સરકારે આ સપ્તાહે જર્મનીના રાજદૂતને બોલાવ્યા હતા.
અરિહાની મુક્તિ માટે ભારતે આ અઠવાડિયે જર્મન રાજદૂત ફિલિપ એકરમેનને સમન્સ પાઠવ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું કહેવું છે કે અરિહા કેસને લઈને એકરમેનને આ અઠવાડિયે સમન્સ મોકલવામાં આવ્યું છે. ભારતનું કહેવું છે કે બાળક માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બિઅરબોકને અરિહા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંબંધીઓનો આરોપ છે કે દિકરીને 20 મહિનાથી બર્લિનના ફોસ્ટર કેર સેન્ટરમાં અમારાથી દૂર રાખવામાં આવી છે.
શું છે આ સમગ્ર મામલો?
ગુજરાતનું એક યુગલ છેલ્લા દોઢ વર્ષથી તેમની બાળકીથી હજારો માઈલ દૂર છે અને તેને મળવા માટે આજીજી કરી રહ્યું છે. અમદાવાદના ભાવેશ અને ધારા શાહ ભારતમાં છે જ્યારે તેમની બે વર્ષની પુત્રી અરિહા જર્મનીમાં છે.
સપ્ટેમ્બર 2021 આ પરિવાર માટે કાળો સાબિત થયો. વર્ક વિઝા પર જર્મનીના બર્લિન ગયેલા આ ગુજરાતી પરિવારની દુનિયા ત્યારે ચકનાચૂર થઈ ગઈ જ્યારે અરિહાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઈ અને જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે માતા-પિતા પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો. આ પછી પ્રશાસને અરિહાને ફોસ્ટર કેર હોમમાં મોકલી દીધી. સપ્ટેમ્બર 2021થી આ પરિવાર અરિહાની કસ્ટડી માટે કાયદાકીય લડાઈ લડી રહ્યો છે.
આ દંપતી છેલ્લા એક વર્ષથી વિનંતી કરી રહ્યું છે કે તેમની પુત્રી તેમને પરત કરવામાં આવે. આપને જણાવી દઇએ કે ડૉક્ટરને અરિહાના ડાયપર પર લોહી જોવા મળ્યું, ત્યારબાદ પ્રશાસને બાળકીને ફોસ્ટર કેર હોમમાં મોકલી. ત્યારથી અરિહા ફોસ્ટર કેર હોમમાં છે.
અરિહાની માતા ધારા કહે છે કે આ વર્ષે ઓગસ્ટના અંતમાં અરિહા કેર હોમમાં બે વર્ષ પૂર્ણ કરશે. જર્મન સરકારના નિયમો હેઠળ, જો બાળક બે વર્ષથી ફોસ્ટર કેર હોમમાં છે, તો તે બાળક તેના માતાપિતાને પાછું આપવામાં આવતું નથી.
આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં અરિહાની માતા ધારા શાહ પોતાની પુત્રીની કસ્ટડી મેળવવા માટે ગુજરાત ભાજપ કાર્યાલયની બહાર ધરણા પર બેસી ગઈ હતી. તેમની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે દરમિયાનગીરી કરે અને તેમને મદદ કરે. ધારા શાહે અપીલ કરી છે કે હવે માત્ર વડાપ્રધાન મોદી જ તેમની મદદ કરી શકે છે.
માતા ધારાનું કહેવું છે કે તેમની પુત્રી હાલમાં એક ખ્રિસ્તી પરિવાર સાથે રહે છે અને તેણે જર્મન બોલવાનું પણ શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે આ કેસની સુનાવણીમાં વર્ષો લાગી શકે છે. પરંતુ ત્યાં સુધી તેણે અરિહાની કસ્ટડી મેળવી જોઈએ અથવા તેને કોઈ સંબંધીને સોંપવી જોઈએ. પુત્રી અરિહાની કસ્ટડીની માંગ માટે તેના માતા-પિતાએ જંતર-મંતર પર પ્રદર્શન પણ કર્યું હતું.