Kailash Mansarovar Yatra 2025: ભારતીય યાત્રીઓ માટે આનંદના સમાચાર! પાંચ વર્ષના લાંબા વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ફરી શરૂ થવા જઈ રહી છે. કોવિડ-19 મહામારી અને ભારત-ચીન સંબંધોમાં તણાવને કારણે 2019થી આ પવિત્ર યાત્રા બંધ હતી. વિદેશ મંત્રાલયે લૉટરી સિસ્ટમ દ્વારા 750 ભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે, જેમને SMS અને ઈ-મેલ દ્વારા સૂચના આપવામાં આવી છે.