કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચઢાવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. રામ મંદિરની દાનપેટીમાં આવેલી કરોડો રૂપિયાની રકમમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો બાદ દેશના રાજકીય અને ધાર્મિક માહોલમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ વિવાદો અને સવાલો વચ્ચે આગામી 6 જુલાઈના રોજ 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' ની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

