America bridge accident: ભારતીયોની બુદ્ધિમત્તાને કારણે ઘણા લોકોના બચ્યા જીવ, બ્રિજ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ બાયડનનું નિવેદન
America bridge accident: આ પહેલા મેરીલેન્ડના ગવર્નરે કહ્યું હતું કે બ્રિજ સાથે અથડાતા જહાજના 22 સભ્યોના ક્રૂ તમામ ભારતીય હતા અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાતા પહેલા ચેતવણીનો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો.
America bridge accident: આ જહાજની માલિકી ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડ પાસે છે
America bridge accident: અમેરિકાના બાલ્ટીમોરમાં સોમવારે મોડી રાત્રે એક માલવાહક જહાજ એક મોટા પુલ સાથે અથડાયું હતું. જેના કારણે પુલ તૂટીને નીચે નદીમાં પડ્યો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સેંકડો લોકોના મોત થયા હોત. પરંતુ જહાજના ક્રૂ મેમ્બરોની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી હતી. તમને જણાવી દઈએ કે આ જહાજમાં તમામ ભારતીયો સવાર હતા. હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને બુધવારે કહ્યું કે ભારતીય ટીમની બુદ્ધિમત્તાએ ઘણા લોકોના જીવ બચાવ્યા.
અમેરિકી પ્રમુખ જો બિડેને વ્હાઇટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે, "જહાજ પર સવાર કર્મચારીઓએ મેરીલેન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનને પહેલેથી જ એલર્ટ કરી દીધું હતું કે તેઓએ તેમના જહાજ પરનો અંકુશ ગુમાવી દીધો છે. પરિણામ એ આવ્યું કે સ્થાનિક અધિકારીઓએ પુલ ધરાશાયી થાય તે પહેલા તેને ખાલી કરાવવો પડ્યો."
JUST IN: SIX construction workers who were filling potholes on the Key Bridge in Baltimore when it collapsed are now presumed dead, according to their employer. Thoughts and prayers for their families, and for the justice they deserve pic.twitter.com/E8tbE2iycm
અગાઉ, મેરીલેન્ડના ગવર્નરે કહ્યું હતું કે બ્રિજ સાથે અથડાતા જહાજના 22 સભ્યોના ક્રૂ તમામ ભારતીય હતા અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજને ટકરાતા પહેલા ચેતવણી મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે અધિકારીઓને વાહન ટ્રાફિકને મર્યાદિત કરવામાં મદદ કરી હતી.
આ જહાજની માલિકી ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડ પાસે છે. તે બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું. બિડેને કહ્યું કે બાલ્ટીમોર બંદર દેશના સૌથી મોટા શિપિંગ હબમાંનું એક છે. આ પુલ 1977 માં ખોલવામાં આવ્યો હતો અને તે એક મહત્વપૂર્ણ જળમાર્ગ, પટાપ્સકો નદી પર બાંધવામાં આવ્યો હતો. મેરીલેન્ડ ડિસ્ટ્રિક્ટના યુ.એસ. એટર્ની એરેક બેરોને જણાવ્યું હતું કે પુલ તૂટી પડવાની ઘટના આતંકવાદ સાથે સંકળાયેલી હોવાના કોઈ પુરાવા નથી.
અમેરિકામાં ભારતીય દૂતાવાસે મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક મુખ્ય પુલ સાથે કાર્ગો જહાજ અથડાઈ જવાની ઘટનાને અને પરિણામે પુલ નદીમાં પડી જવાની ઘટનાને 'દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત' ગણાવ્યો છે. જહાજનું સંચાલન 22 સભ્યોના ભારતીય ક્રૂ દ્વારા કરવામાં આવ્યું હતું. ટક્કર બાદ જહાજમાં આગ લાગી અને તેમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.