Statue of Unity: ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ત્રણ રજાના દિવસે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. એકતા નગરમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય રીતે દર સોમવારે બંધ રહે છે. એકતાનગરમાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો પણ બંધ રહે છે, પરંતુ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવતી ત્રણ રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. આવી સ્થિતિમાં આ ત્રણ રજાઓમાં સ્થાનિક અને બહારના પ્રવાસીઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી શકશે.



