Surya Grahan 2024 : સૂર્યગ્રહણને લઈને ભારતમાં ઘણી માન્યતાઓ છે, જેના સંબંધમાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. આવી જ સાવચેતી સ્માર્ટફોનને લઈને પણ રાખવી પડશે, નહીં તો તમારો સ્માર્ટફોન બગડી શકે છે.
Surya Grahan 2024 : સૂર્યગ્રહણને લઈને ભારતમાં ઘણી માન્યતાઓ છે, જેના સંબંધમાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. આવી જ સાવચેતી સ્માર્ટફોનને લઈને પણ રાખવી પડશે, નહીં તો તમારો સ્માર્ટફોન બગડી શકે છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૂર્યગ્રહણને લઈને એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. જો તમે આને અવગણશો તો તમારો સ્માર્ટફોન બગડી શકે છે. સ્માર્ટફોનને રિપેર કરાવવા અથવા નવો સ્માર્ટફોન ખરીદવા માટે તમારે હજારો રૂપિયા ખર્ચવા પડશે.
સૂર્યગ્રહણનો ફોટો ક્લિક ન કરો ?
સૂર્યગ્રહણને લઈને ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે તેનો ફોટો સ્માર્ટફોનથી ક્લિક કરવો જોઈએ કે નહીં. નાસાએ આવા જ સવાલનો જવાબ આપ્યો. નાસાએ આ અંગે ચેતવણી જારી કરી છે કે જો તમે 8 એપ્રિલે થઈ રહેલી ખગોળીય ઘટનાને કેમેરામાં કેદ કરવા માંગતા હોવ તો તે તમારા હેન્ડસેટને નુકસાન પહોંચાડી શકે છે.
યુટ્યુબરે નાસાને એક પ્રશ્ન પૂછ્યો હતો
એક જાણીતા યુટ્યુબર MKBHD પર પોસ્ટ કર્યું યુટ્યુબરે પોસ્ટમાં લખ્યું છે કે, સ્માર્ટફોનમાંથી સૂર્યગ્રહણનો ફોટો ક્લિક કરવાથી કેમેરા સેન્સરને નુકસાન થશે કે નહીં તે અંગે હું કોઈ ચોક્કસ જવાબ મેળવી શક્યો નથી.
I cannot for the life of me find a definitive answer to whether or not pointing a smartphone at the solar eclipse will fry the sensor
Tempted to just take a phone I don't need and point it at the sun for 5 minutes to find out the real answer myself. In the name of science — Marques Brownlee (@MKBHD) April 4, 2024
નાસાએ એક જવાબ પોસ્ટ કર્યો
We asked our @NASAHQPhoto team, and the answer is yes, the phone sensor could be damaged just like any other image sensor if it’s pointed directly at the Sun. This is especially true if you’re using any sort of magnifying lens attachment on the phone. You would need to utilize… — NASA (@NASA) April 4, 2024
નાસાએ આ પોસ્ટના જવાબમાં લખ્યું કે તેમના ફોટો વિભાગે કહ્યું કે હા, તમારા સ્માર્ટફોનના કેમેરા સેન્સરને નુકસાન થઈ શકે છે. જો તે સીધો સન લાઇટ તરફ રાખીને ફોટો ક્લીક થાય તે તો બની શકે કે તમારા ફોનનું સેન્સર ખરાબ થઈ શકે.
8 એપ્રિલે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવશે, ત્યારે લોકો પૃથ્વી પર ઘણી જગ્યાએ સૂર્યગ્રહણ જોઈ શકશે.ભારતીય સમય અનુસાર, આ સૂર્યગ્રહણ 8 એપ્રિલની રાત્રે 9.12 વાગ્યાથી 2.22 સુધી ચાલશે. સૂર્યગ્રહણનો આ સમયગાળો 05 કલાક 10 મિનિટ સુધીનો રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.