Kashmiri Pandit Temple: કાશ્મીરી પંડિતોએ ઉત્તર કાશ્મીરના શોપિયા જિલ્લાના નદીમાર્ગ ગામમાં પ્રાચીન અર્ધનારીશ્વર મંદિરમાં 20 વર્ષ પછી પૂજા કરી અને મૂર્તિ સ્થાપિત કરી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. કેન્દ્રશાસિત પ્રદેશના દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નદીમાર્ગ ખાતેના પ્રાચીન મંદિરના સ્થળે ભેગા થયા હતા અને પૂજામાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂજા સમારોહ 20 વર્ષના અંતરાલ પછી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક મુસ્લિમોએ કાશ્મીરી પંડિત ભાઈઓનું સ્વાગત કર્યું હતું જેઓ પૂજામાં ભાગ લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.

