ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બાહુબલી અતીક અહેમદ અને તેના ભાઈની ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે હુમલાખોરોની ઓળખ અરુણ મૌર્ય, લવલેશ તિવારી અને સન્ની સિંહ તરીકે થઈ છે. જેમાં લવલેશ તિવારી બાંદાના ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. સની સિંહ હમીરપુરનો રહેવાસી છે. જ્યારે અરુણ મૌર્ય કાસગંજનો રહેવાસી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણેય આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ મોટા માફિયા બનવા માગે છે. આથી તેઓએ અતીક અહેમદની હત્યા કરી છે.