આગામી 1 મે થી દેશના દરેક રાજ્યમાં માત્ર એક જ ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક (આરઆરબી) કાર્યરત હશે. નાણા મંત્રાલયે વધુ સારી કાર્યક્ષમતા અને ખર્ચમાં ઘટાડો લાવવા માટે 11 રાજ્યોમાં 15 ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોના મર્જર માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આ મર્જર બાદ દેશમાં ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોની સંખ્યા હાલના 43 થી ઘટીને 28 થઈ જશે.