ગુજરાતના તમામ જિલ્લાઓમાં રસ્તાઓની જરૂરિયાતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રસ્તા-માળખાને મજબૂત કરવા ઐતિહાસિક પગલું ભર્યું છે. આ અંતર્ગત રસ્તાઓની રિસરફેસિંગ, પુનઃનિર્માણ, સિમેન્ટ-કોંક્રિટ (સીસી) બનાવવા અને અન્ય સહાયક કામગીરી માટે કુલ 1242 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ નિર્ણયથી નાગરિકો, ઉદ્યોગો અને વેપારીઓને પરિવહનમાં સરળતા મળશે, ગ્રામીણ વિસ્તારોનો વિકાસ થશે અને હાજીપીર જેવા તીર્થસ્થળો સાથે જોડાણ વધુ મજબૂત થશે.

