ન્યૂયોર્કમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે UNની ઘટતી વિશ્વસનીયતા પર ચિંતા વ્યક્ત કરી અને સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે UNની વિશ્વસનીયતા ઘટવાનું મુખ્ય કારણ સુધારાનો વિરોધ છે. જયશંકરે સ્પષ્ટપણે જણાવ્યું કે UNSCની સ્થાયી અને અસ્થાયી સભ્યપદનો વિસ્તાર થવો જોઈએ, અને ભારત આવી મોટી જવાબદારીઓ ઉઠાવવા માટે તૈયાર છે.