Piramal Finance: પીરામલ ગ્રૂપની નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) પીરામલ ફાઇનાન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના જમાઇ આનંદ પીરામલને કંપનીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય 24 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયો હતો. આનંદ પીરામલ તેમના પિતા અજય પીરામલનું સ્થાન લેશે, જેઓ અગાઉ આ પદ પર હતા.