ભારતીય રેલવેનો મેગા પ્લાન: 5 રાજ્યોમાં બિછાવાશે 656 કિમી નવી લાઈન, કેબિનેટે 10,783 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી
કેન્દ્ર સરકારે ભારતીય રેલવેના 10,783 કરોડના 3 મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેનાથી 5 રાજ્યોમાં 656 કિમી નવી લાઈન બિછાવાશે. જાણો આ મેગા પ્લાનની સંપૂર્ણ વિગતો.
આ પ્રોજેક્ટ્સ 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન' હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. જેનાથી પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ કુલ 5 રાજ્યોને સીધો ફાયદો થશે.
Indian Railways Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના વિસ્તરણને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં ભીડ ઘટાડવા અને કનેક્ટિવિટી સુધારવા માટે સરકારે ₹10,783 કરોડના ખર્ચે 3 મોટા રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.
આ પ્રોજેક્ટ્સ 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન' હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. જેનાથી પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ કુલ 5 રાજ્યોને સીધો ફાયદો થશે. આ મેગા પ્લાન હેઠળ 656 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈનો નાખવામાં આવશે, જેને વર્ષ 2029-30 સુધીમાં પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
કયા 3 મોટા પ્રોજેક્ટને મળી મંજૂરી?
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા જે ત્રણ મહત્વના રૂટને મંજૂરી આપવામાં આવી છે, તે નીચે મુજબ છે.
ખડગપુરથી ઝારસુગુડા (બાગડીહી): ચોથી નવી રેલવે લાઈન
કટનીથી પેન્ડ્રા રોડ: ચોથી નવી રેલવે લાઈન
બિલાસપુર (ઉસલાપુર) થી પેન્ડ્રા રોડ: ત્રીજી નવી રેલવે લાઈન
#WATCH | Union Cabinet briefing | Delhi: Union Cabinet approves 3 multitracking projects covering 14 districts across the states of West Bengal, Jharkhand, Odisha, Madhya Pradesh and Chhattisgarh. The Projects will increase the existing network of Indian Railways by about 656… pic.twitter.com/cBlAXhyr1F
રેલવેના આ વિસ્તરણથી 5 રાજ્યોના 14 જિલ્લાઓમાં આવેલા અંદાજે 4,790 ગામડાઓ રેલવે નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડાઈ જશે. આ વિસ્તારોમાં રહેતી લગભગ 56 લાખની વસ્તીને મુસાફરીમાં મોટી રાહત મળશે અને તેમનો પ્રવાસનો સમય પણ ઘટશે.
ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુસાફરી બનશે એકદમ સરળ
નવી રેલવે લાઈનો શરૂ થવાથી દેશના પ્રખ્યાત નેશનલ પાર્ક, ટાઈગર રિઝર્વ અને પવિત્ર યાત્રાધામો સુધી પહોંચવું ખૂબ જ સરળ બની જશે. આ રૂટ પર આવતા મુખ્ય સ્થળોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
આ સમગ્ર રૂટ ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીંથી કોલસો, સિમેન્ટ, લોખંડ અને સ્ટીલ જેવા ભારે ઔદ્યોગિક માલસામાનની સપ્લાય થાય છે. નવી લાઈનો શરૂ થવાથી રેલવે દર વર્ષે 2.7 કરોડ ટન વધારાનો માલસામાન વહન કરી શકશે. લાઈનોની ક્ષમતા વધવાથી માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનોની સ્પીડ વધશે, જેનાથી ટ્રકો પરની નિર્ભરતા ઘટશે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘણો ઓછો થશે.
પર્યાવરણ માટે વરદાન: 12 કરોડ લિટર ઇંધણની થશે બચત
સરકારના અંદાજ મુજબ, રસ્તાઓને બદલે રેલવે દ્વારા માલસામાનની હેરફેર વધવાથી પર્યાવરણને જબરદસ્ત ફાયદો થશે. દર વર્ષે અંદાજે 12 કરોડ લિટર ઇંધણની બચત થશે. આ ઉપરાંત, પર્યાવરણમાં 62 કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે. આ ફાયદો લગભગ 2.48 કરોડ નવા વૃક્ષો વાવવા બરાબર છે.