Indian Railways Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના વિસ્તરણને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં ભીડ ઘટાડવા અને કનેક્ટિવિટી સુધારવા માટે સરકારે ₹10,783 કરોડના ખર્ચે 3 મોટા રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.

