મૂડીઝ એનાલિટિક્સે જણાવ્યું હતું કે ભારતે રૂપિયામાં ઘટાડો, વિદેશી રોકાણમાં ઘટાડો અને અસ્થિર ફુગાવા વચ્ચે 2025માં 6.4 ટકા GDP ગ્રોથ હાંસલ કરવા માટે તેની રાજકોષીય અને ફાઇનાન્શિયલ પોલીસીમાં ફેરફાર કરવા પડશે. વિશ્લેષક ફર્મ મૂડીઝ એનાલિટિક્સ અપેક્ષા રાખે છે કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર નાણાકીય વર્ષ 26નું બજેટ લોકલ ડિમાન્ડ, ખાસ કરીને રોકાણને ટેકો આપશે, જ્યારે રાજકોષીય ખાધ GDPના 4.5 ટકાથી નીચે રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ કુલ લોકલ પ્રોડક્શન (GDP)ના 5.6 ટકા હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં ઘટીને 4.9 ટકા થવાનો અંદાજ છે.



