સામાન્ય જનતા માટે એક મોટા સમાચાર છે. ટૂંક સમયમાં લોકોને સસ્તુ પેટ્રોલ અને ડીઝલ મળી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રીએ બીજેપી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એપ્રિલ 2022થી તેલની કિંમતોમાં કોઈ વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે.
હરદીપ સિંહ પુરીએ શું કહ્યું?
ઓઈલ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે જોવા માંગીએ છીએ કે આમાં આગળ શું કરી શકાય. સરકારી ઓઈલ કંપનીઓએ તેમની કેટલીક ખોટ વસૂલ કરી છે. તેઓ ખૂબ સારા કોર્પોરેટ રહ્યા છે. અમે આગળ વધીએ ત્યારે તેના વિશે શું કરી શકાય તે જોઈશું. પુરીએ કહ્યું કે કિંમતો એક મુદ્દો છે. તે છેલ્લા નવ વર્ષમાં સરકારના સારા કાર્યો વિશે જણાવે છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ બિન-ભાજપ રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વેટ ન ઘટાડીને આ સરકારો ભાજપની રાજ્ય સરકારોની સરખામણીમાં મોંઘું પેટ્રોલ વેચે છે.