ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગભગ 60 દેશો પર લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફને ‘સ્વ-ગોલ’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયની ભારત પર ખૂબ જ ઓછી અસર પડશે. રાજનનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસનનું આ પગલું અમેરિકી અર્થવ્યવસ્થા માટે જ નુકસાનકારક સાબિત થશે, કારણ કે ટેરિફથી અમેરિકી ગ્રાહકો માટે ભાવ વધશે, માંગ ઘટશે અને આર્થિક વૃદ્ધિ પર અસર પડશે.