જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા એક ભયાનક આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત થયા છે, જેમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નામના આતંકવાદી સંગઠને લીધી છે, જે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે અને ભારત સરકાર દ્વારા આગાઉ જ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલો બપોરે લગભગ 1:30 વાગ્યે પહલગામ નજીકના બૈસરન ખાતે થયો હતો, જે એક મનોહર પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે.

