ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયાએ એક મોટી કાર્યવાહી કરી અને તેના એક ઇન્સસ્ટ્રક્ટર પાઇલટની સર્વિસ સમાપ્ત કરી દીધી. આ સાથે કંપનીએ ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ પાસેથી તાલીમ લેનારા 10 અન્ય પાઇલટ્સને પણ ફરજ પરથી દૂર કર્યા છે. એર ઈન્ડિયાએ આ બાબતની માહિતી આપી. એર ઇન્ડિયાએ આ બાબત અંગે ઉડ્ડયન રેગ્યુલેટર DGCAને પણ જાણ કરી છે. આપને જણાવી દઈએ કે ટાટા ગ્રુપની માલિકીની આ એરલાઇન કંપનીએ તાજેતરમાં એક 'વ્હિસલબ્લોઅર' દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ આ કાર્યવાહી કરી છે.
તપાસ બાદ એર ઇન્ડિયાએ આરોપોને કન્ફોર્મ કર્યા
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમણે ફરજોમાં બેદરકારી બદલ એક ઇન્સસ્ટ્રક્ટર પાઇલટની સર્વિસને સમાપ્ત કરી દીધી છે અને તેમના હેઠળ તાલીમ પામેલા 10 પાઇલટ્સને પણ તપાસ પૂર્ણ થવા સુધી ઉડાન ફરજોમાંથી દૂર કર્યા છે. વ્હિસલબ્લોઅરે પોતાના આરોપોમાં કહ્યું હતું કે સિમ્યુલેટર ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ ગયો હતો. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ વ્હિસલબ્લોઅર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની વિગતવાર તપાસ હાથ ધરી હતી અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, જાણવા મળ્યું કે પાઇલટ પર લગાવવામાં આવેલા આરોપો સાચા હતા.
ઇન્સસ્ટ્રક્ટર પાઇલટ્સ નવા પાઇલટ્સને વિમાન ઉડાડવાનું શીખવે છે