ઉત્તર પ્રદેશમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં હવે ક્વોલિટી સાથે કોઈ જ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યમાં રસ્તા કે પુલ બન્યા પછી તરત તૂટી જવાની ઘટનાઓને રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે એક મોટો અને કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે રાજ્યમાં 100 કરોડથી વધુના ખર્ચે બનતા પ્રોજેક્ટ્સનું ઓડિટ સરકારી બાબુઓ નહીં, પરંતુ દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના નિષ્ણાતો કરશે.

