દેશની મુખ્ય બેન્કોમાં ICICI બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ તમામ સમયગાળાની હોમ લોન પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જેના કારણે ત્રણેય બેન્કોના લાખો લોન ધારકોને મોટો ફટકો પડ્યો છે. ગ્રાહકોએ હવે લોનની વધુ EMI ચૂકવવી પડશે. ICICI બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ સમયગાળાની હોમ લોન સહિત તમામ પ્રકારની લોન પર MCLR વધાર્યો છે. બેન્કની વેબસાઈટ અનુસાર, આ નવા દરો 1 ઓગસ્ટ 2023થી લાગુ થઈ ગયા છે. ફંડ આધારિત ધિરાણ દરની તે સીમાંત કિંમત એટલે કે MCLR એ લઘુત્તમ લોન દર છે જેની નીચે કોઈ બેન્ક લોન આપી શકતી નથી. લોન પર વ્યાજ દર MCLR દ્વારા નક્કી કરવામાં આવે છે.

