8th Pay Commission: 8માં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. જોકે પગાર પંચની જાહેરાતને લઈને રાહ લાંબી થઈ રહી છે, પરંતુ આ વિલંબ પાછળ એક મોટો ફાયદો છુપાયેલો છે. રિપોર્ટ્સ અને નિષ્ણાતોના આકલન મુજબ, જો પગાર પંચની ભલામણો લાગુ કરવામાં વિલંબ થાય છે, તો કર્મચારીઓને એરિયરના રૂપમાં લાખો રૂપિયાની માતબર રકમ એકસાથે મળશે.

