Gujarat Karmyogi Swasthya Suraksha Yojana: નવરાત્રિના પવિત્ર અવસરે ગુજરાત સરકારે રાજ્યના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય - આયુષ્માન યોજનાના 7 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં, “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” (G-કેટેગરી)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને રુપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળશે.