તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે જાહેર ક્ષેત્રની બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તેમના કસ્ટમર્સ પાસેથી લગભગ રૂપિયા 8,495 કરોડ વસૂલ કર્યા હતા. આ સમાચારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક (SBI) છેલ્લા કેટલાક સમયથી મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ ફી વસૂલતી નથી. જો કે, અન્ય ઘણી સરકારી બેન્કો આ ચાર્જ વસૂલ કરી રહી છે. પંજાબ નેશનલ બેન્કે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 1,538 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે. ચાલો જાણીએ કે હાલમાં કઈ બેન્ક મિનિમમ બેલેન્સ ન રાખવા માટે શું ચાર્જ વસૂલ કરી રહી છે.

