National Pension System: નિવૃત્તિને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં બચતને પ્રોત્સાહન આપવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) બનાવવામાં આવી હતી. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ લાંબા ગાળાની રોકાણ યોજના છે. તેમાં રોકાણ કરીને, તમે નિવૃત્તિ પર મોટી રકમ મેળવી શકો છો. એટલું જ નહીં, આ યોજનામાં રોકાણ કરનારા લોકોને આવકવેરા વિભાગની કલમ 80-CCD (1B) હેઠળ 50 હજાર રૂપિયા અને આવકવેરાની કલમ 80-C હેઠળ 1.5 લાખ રૂપિયાનો લાભ પણ મળે છે. જો કોઈ રોકાણકાર આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કર્યા પછી મૃત્યુ પામે છે, તો પૈસા નોમિનીને આપવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો NPS ખાતાધારક નોમિની બનાવ્યા વિના મૃત્યુ પામે તો શું થશે. ચાલો જાણીએ આ સાથે જોડાયેલા નિયમો શું કહે છે.

