Budget 2025: અર્થશાસ્ત્રીઓએ સરકારને આવકવેરો ઘટાડવાની સલાહ આપી છે. 24 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કેન્દ્રીય બજેટ 2025 પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં અર્થવ્યવસ્થાના વિકાસને વધારવાના ઉપાયો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્રીઓએ પણ વડાપ્રધાન મોદીને આવકવેરો ઘટાડવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે આવકવેરો ઘટાડવાથી ઘણા ફાયદા થશે. નાણામંત્રી નિર્મલા સીતામરન 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

