નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કર્યું. બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં 1 કરોડ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપશે. બજેટમાં આ જાહેરાત બાદ હવે લોકોના મનમાં એક સવાલ છે કે આમાં કયા વિદ્યાર્થીઓને તક મળશે, કેવી રીતે સિલેક્શન થશે અને કોને પૈસા કેવી રીતે મળશે.