દેશના સૌથી પ્રતિષ્ઠિત અને મોટા બિઝનેસ ગ્રુપ Tata Groupની ટોચની લીડરશીપમાં હાલમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદે એન ચંદ્રશેખરનની પુનઃનિમણૂકને ગેરકાયદેસર ગણાવીને બોર્ડના નિર્ણય સામે ખુલ્લેઆમ સવાલો ઊભા કર્યા છે. આ વિવાદની સીધી અસર ટાટા ગ્રુપના ભવિષ્યના નેતૃત્વ પર પડી શકે છે.

