પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પડી છે, છતાં ભારતીય કંપનીઓ પાકિસ્તાનમાં પોતાનો માલ મોકલવાનું ચાલુ રાખી રહી છે. બંને દેશો વચ્ચે સીધા વેપાર પર પ્રતિબંધ હોવા છતાં, આ કંપનીઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ કંપનીઓ ત્રીજા દેશોના બંદરોનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં માલ પહોંચાડી રહી છે.