કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં સુધારેલું આવકવેરા બિલ, 2025 રજૂ કર્યું. આ સુધારેલા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભલામણોનો સમાવેશ થાય છે. 13 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા આવકવેરા બિલ, 2025ને પાછું ખેંચવાના ગયા અઠવાડિયે સરકારના નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું છે. નવું આવકવેરા બિલ પસાર થયા પછી કાયદો બનશે, જે લગભગ 6 દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે.

