Get App

PM મોદી અને જાપાની PM સાનાએ તાકાઇચી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, AI અને સેમિકન્ડક્ટર સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હીમાં PM મોદી અને જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને નેતાઓએ સેમિકન્ડક્ટર, AI, સંરક્ષણ અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jul 02, 2026 પર 2:45 PM
PM મોદી અને જાપાની PM સાનાએ તાકાઇચી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, AI અને સેમિકન્ડક્ટર સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચાPM મોદી અને જાપાની PM સાનાએ તાકાઇચી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, AI અને સેમિકન્ડક્ટર સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
ઉલ્લેખનીય છે કે, જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી 1 થી 3 જુલાઈ સુધી 3 દિવસીય સત્તાવાર ભારત પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.

ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. ગુરુવારે નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ શિખર વાર્તા પહેલા રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં જાપાની પીએમ સાનાએ તાકાઇચીનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સમ્માનભેર 'ગાર્ડ ઓફ ઓનર'પણ આપવામાં આવ્યું હતું.

આ 5 મહત્વના મુદ્દાઓ પર થઈ ઊંડી ચર્ચા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચેના અતૂટ વિશ્વાસ અને રણનીતિક ભાગીદારીને નવી ગતિ આપવાનો છે. બંને દિગ્ગજ નેતાઓએ ભારત-જાપાન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

ખાસ કરીને નીચેના વિષયો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી,,,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અન્ય ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રે બંને દેશો સાથે મળીને કામ કરશે. દુનિયાભરમાં સેમિકન્ડક્ટરની માંગને જોતા એક મજબૂત સપ્લાય ચેન વિકસાવવા પર જોર અપાયું. એશિયા અને વૈશ્વિક સ્તરે શાંતિ જાળવવા માટે ડિફેન્સ અને સિક્યોરિટી પાર્ટનરશિપ પર વાતચીત થઈ.

આ સાથે મહત્વપૂર્ણ ખનિજો અને દવા ઉદ્યોગમાં આર્થિક સહયોગ વધારવાનો નિર્ણય લેવાયો. વેપાર અને રોકાણ: ભારતમાં જાપાનીઝ રોકાણ વધારવા અને વેપારને સરળ બનાવવા માટેના રસ્તાઓ વિચારવામાં આવ્યા.

સાનાએ તાકાઇચી 3 દિવસીય ભારત પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી 1 થી 3 જુલાઈ સુધી 3 દિવસીય સત્તાવાર ભારત પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર પણ મંથન કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ યાત્રાથી બંને દેશો વચ્ચે રણનીતિક, આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સહયોગની નવી તકો ખુલશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો