Get App

સોનું ખરીદવા સાથે જોડાયેલા 5 મોટા ભ્રમ, શું છે તેની હકીકત?

કેટલાક માને છે કે, સોનું માત્ર આર્થિક સંકટના સમયે જ ઉપયોગી છે, તો કેટલાકને લાગે છે કે તે ફક્ત શ્રીમંતો માટે છે. આ ભ્રમોને કારણે ઘણા લોકો સોનામાં રોકાણ કરવાથી ખચકાય છે. નિષ્ણાંતોએ સોના સાથે જોડાયેલા 5 મોટા ભ્રમોની હકીકત જણાવી અને સમજાવ્યું કે સોનું આજે પણ કેમ સ્માર્ટ રોકાણ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 08, 2025 પર 6:15 PM
સોનું ખરીદવા સાથે જોડાયેલા 5 મોટા ભ્રમ, શું છે તેની હકીકત?સોનું ખરીદવા સાથે જોડાયેલા 5 મોટા ભ્રમ, શું છે તેની હકીકત?
ડિજિટલ સોનું અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોએ તેને નવી પેઢી માટે પણ આકર્ષક બનાવ્યું છે.

ભારતમાં સોનું હંમેશાં લોકપ્રિય રોકાણનું સાધન રહ્યું છે, પરંતુ તેની સાથે જોડાયેલા અનેક ભ્રમ આજે પણ લોકોને ગેરમાર્ગે દોરે છે. કેટલાક માને છે કે સોનું માત્ર આર્થિક સંકટના સમયે જ ઉપયોગી છે, તો કેટલાકને લાગે છે કે તે ફક્ત શ્રીમંતો માટે છે. આ ભ્રમોને કારણે ઘણા લોકો સોનામાં રોકાણ કરવાથી ખચકાય છે. નિષ્ણાંતોએ સોના સાથે જોડાયેલા 5 મોટા ભ્રમોની હકીકત જણાવી અને સમજાવ્યું કે સોનું આજે પણ કેમ સ્માર્ટ રોકાણ છે.

ભ્રમ 1: સોનું ફક્ત સંકટના સમયે કામ આવે છે

ઘણા લોકો માને છે કે સોનું ફક્ત આર્થિક સંકટ દરમિયાન જ કામે આવે છે. પરંતુ નિષ્ણાંતોના મતે આ સંપૂર્ણ સત્ય નથી. તેમના મતે, “ઇતિહાસ બતાવે છે કે સોનું સ્થિરતા અને મોંઘવારીથી રક્ષણ આપે છે. શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે તે તમારી સંપત્તિને સંતુલન આપે છે.”

ભ્રમ 2: દરેક સોનાનું રોકાણ એકસરખું હોય છે

બધા સમાચાર

+ વધુુ વાંચો