દેશમાં ચોમાસાની શરૂઆત મોડી થવા જઈ રહી છે, હવામાન વિભાગની એજન્સીઓ મુજબ સમગ્ર દેશમાં ચોમાસું શરૂ થતા હજી થોડો સમય લાગશે, આવામાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને સલાહ આપી છે, કે જ્યા સુધી પુરતો વરસાદ ન પડે ત્યા સુધી ખરીફ પાકની વાવણી ન કરવી. એટલે ગત વર્ષ કરતા આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં ઘણો વિલંબ થતો દેખાશે, સાથે જ આગળ જતા જો ઉત્પાદન ઘટ્યું તો ભાવ વધારાની ચિંતા પણ સતાવશે.

