સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ અદાણી ગ્રૂપની કંપનીઓ અને તેના ચેરમેન ગૌતમ અદાણીને મોટી રાહત આપી છે. અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરી 2023માં લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ કરીને SEBIએ 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ઓર્ડર જાહેર કર્યો. આ ઓર્ડરમાં જણાવાયું છે કે અદાણી ગ્રૂપની કંપનીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા કોઈ નિયમનું ઉલ્લંઘન થયું નથી. આ તપાસમાં હિન્ડનબર્ગના આરોપોમાં કોઈ સચ્ચાઈ ન મળી, જેના કારણે કેસ બંધ કરવામાં આવ્યો.