GST Relief in Insurance Policy: ભારતના કરોડો નાગરિકો માટે રાહતના સમાચાર છે! કેન્દ્ર સરકારે લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પર લાગતા 18% GSTને સંપૂર્ણપણે હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વીમાના પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી સામાન્ય નાગરિકો માટે વીમો વધુ સસ્તો અને સુલભ બનશે. આ નિર્ણય 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો, જેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી.

