Get App

કૈલાશ માનસરોવર યાત્રાના નામે મહા-છેતરપિંડી! ઈનાયા જર્નીઝનો 185 યાત્રીઓ સાથે ભયંકર વિશ્વાસઘાત, યાત્રા બની મોતનો કૂવો

Kailash Mansarovar fraud: મુંબઈની ‘ઈનાયા જર્નીઝ'ના રવિ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા (મે 2026)માં 185 શ્રદ્ધાળુઓ સાથે આચરેલી ભયંકર છેતરપિંડીનો પર્દાફાશ. પાસપોર્ટ જપ્તી, યાત્રીનું મોત અને ઢોર જેવા વ્યવહારની હચમચાવી દેતી હકીકત.

MoneyControl Newsઅપડેટેડ Jun 10, 2026 પર 6:33 PM
કૈલાશ માનસરોવર યાત્રાના નામે મહા-છેતરપિંડી! ઈનાયા જર્નીઝનો 185 યાત્રીઓ સાથે ભયંકર વિશ્વાસઘાત, યાત્રા બની મોતનો કૂવોકૈલાશ માનસરોવર યાત્રાના નામે મહા-છેતરપિંડી! ઈનાયા જર્નીઝનો 185 યાત્રીઓ સાથે ભયંકર વિશ્વાસઘાત, યાત્રા બની મોતનો કૂવો
Kailash Mansarovar fraud: મુંબઈની ‘ઈનાયા જર્નીઝ'ના રવિ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા (મે 2026)માં 185 શ્રદ્ધાળુઓ સાથે આચરેલી ભયંકર છેતરપિંડી કર્યાના આક્ષેપ.

Kailash Mansarovar fraud: હિંદુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રાને જીવનની સૌથી પવિત્ર અને અંતિમ મંઝિલ માનવામાં આવે છે. લાખો રૂપિયા ખર્ચીને, મહિનાઓની શારીરિક તૈયારીઓ કરીને અને આંખોમાં ઈશ્વર મિલનની શ્રદ્ધા લઈને લોકો આ કઠિન યાત્રા પર નીકળતા હોય છે. પરંતુ જરા વિચારો, ભગવાનના દરબાર સુધી પહોંચાડવાનો દાવો કરનાર કોઈ ટૂર ઓપરેટર જો રસ્તામાં તમારી સાથે છેતરપિંડી કરે, તમારી આસ્થાનો વેપાર કરે અને તમને મોતના મુખમાં ધકેલી દે તો?

આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ 24મે 2026ના રોજ શરૂ થયેલી કૈલાશ માનસરોવર યાત્રા (જમીન માર્ગે)ના 185થી વધુ યાત્રીઓ સાથે બનેલી એક હચમચાવી દે તેવી કાળી સચ્ચાઈ છે. મુંબઈના બોરીવલીમાં આવેલી ‘ઈનાયા જર્નીઝ' (Inaya Journeyz)નામની ટ્રાવેલ કંપની ચલાવતા રવિ મોદી નામના ટૂર ઓપરેટરે આ યાત્રીઓ સાથે એવો ભયંકર વિશ્વાસઘાત કર્યો છે, જેને સાંભળીને કોઈ પણ શ્રદ્ધાળુનો આત્મા કંપી ઉઠશે. નફાની લાલચમાં આંધળા થયેલા આ ઓપરેટરે યાત્રીઓને ભગવાનના દર્શન કરાવવાને બદલે જીવતેજીવ નરકના દર્શન કરાવી દીધા. ચાલો જાણીએ આ કથિત યાત્રા પાછળ રમાયેલા ખુલ્લા કૌભાંડ અને બેદરકારીની સંપૂર્ણ ડિટેલ.

પૈસાની ભૂખ અને લોભ: વિનાશકારી સફરનું મુખ્ય કારણ

આખી યાત્રા એક ભયંકર દુર્ઘટના અને નિષ્ફળતા (Disaster - Failure) સાબિત થઈ, જેનું એકમાત્ર કારણ હતું રવિ મોદીનો વધારે ને વધારે નફો કમાવવાનો રાક્ષસી લોભ. કોઈપણ જવાબદાર ટૂર ઓપરેટર આવી કઠિન યાત્રામાં એક બેચમાં વધુમાં વધુ 30 થી 40 વ્યક્તિઓનું જ બુકિંગ લે છે, જેથી પહાડી અને માઈનસ ડીગ્રી વાતાવરણમાં દરેક યાત્રી પર ધ્યાન આપી શકાય. પરંતુ ઈનાયા જર્નીઝે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વિના 185 થી વધુ લોકોના બુકિંગ લઈ લીધા. આટલા મોટા ગ્રુપ માટે તેમની પાસે ન તો હોટેલના બુકિંગ હતા, ન તો પૂરતો સ્ટાફ. પરિણામે, લાખો રૂપિયા આપનાર યાત્રીઓ સાથે ઢોર જેવો અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો.

હોટેલના નામે છેતરપિંડી: રહેઠાણની ગંદી અને જીવલેણ પરિસ્થિતિઓ

કોઈપણ યાત્રામાં, ખાસ કરીને જ્યારે તમે પહાડો પર ટ્રેકિંગ કરતા હોવ, ત્યારે રાત્રે માથું ટેકવવા માટે એક યોગ્ય રૂમ સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ રવિ મોદીએ આટલા મોટા ગ્રુપ માટે અગાઉથી કોઈ જ રૂમ બુક કર્યા ન હતા.

શ્વાસ રૂંધાય તેવા પોડ્સ (Pods): કેટલીક જગ્યાએ યાત્રીઓને ‘પોડ્સ'માં ઘેટાં-બકરાંની જેમ ભરી દેવામાં આવ્યા. આ પોડ્સ એટલે ટ્રેનના સેકન્ડ ટાયરના ડબ્બાના બર્થ જેવી સાંકડી અને ગૂંગળામણવાળી જગ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે આ એક માણસની જગ્યામાં બે યાત્રીઓને સૂવા માટે મજબૂર કરવામાં આવ્યા! જ્યાં સુધી બે વ્યક્તિઓ એકદમ પાતળા ન હોય, ત્યાં સુધી એક જ પલંગ પર સૂવું તો દૂર, પડખું ફરવું પણ અશક્ય હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો