Kailash Mansarovar fraud: હિંદુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રાને જીવનની સૌથી પવિત્ર અને અંતિમ મંઝિલ માનવામાં આવે છે. લાખો રૂપિયા ખર્ચીને, મહિનાઓની શારીરિક તૈયારીઓ કરીને અને આંખોમાં ઈશ્વર મિલનની શ્રદ્ધા લઈને લોકો આ કઠિન યાત્રા પર નીકળતા હોય છે. પરંતુ જરા વિચારો, ભગવાનના દરબાર સુધી પહોંચાડવાનો દાવો કરનાર કોઈ ટૂર ઓપરેટર જો રસ્તામાં તમારી સાથે છેતરપિંડી કરે, તમારી આસ્થાનો વેપાર કરે અને તમને મોતના મુખમાં ધકેલી દે તો?

